Site icon News Continuous Bureau | Mumbai

વેસ્ટર્ન રેલવેમાં કારણ વગર ટ્રેનની સાંકળ ખેંચવાના નોંધાયા આટલા ગુના, રેલવે પ્રશાસન ત્રસ્ત. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

લોકલ ટ્રેન તેમ જ બહાર ગામની મેલ એક્સપ્રેસ ટ્રેનમાં સંકટના સમયે ગાડી ઉભી રાખવાની ચેન ખેંચવાનું પ્રમાણ વધી ગયું છે. વગર કારણે ટ્રેનની ચેન ખેંચનારાઓને 1,000 રૂપિયાનો દંડ અથવા એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ટ્રેનમાં આ મૂજબની સૂચના ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવેલી છે. છતાં છેલ્લા 11  મહિનામા પશ્ચિમ રેલવેમાં ચેન ખેંચવાના 3,238 ગુના દાખલ થયા હતા. તો 1,361 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રેનની કારણ વગર સાંકળ ખેંચનારા લોકોને કારણે ટ્રેનનું આખું ટાઈમ ટેબલ ખોરવાઈ જતું હોય છે. તેનો પ્રવાસીઓને તો ત્રાસ થાય છે. પરંતુ રેલવેને પણ નુકસાન થાય છે. આવા લોકો સામે રેલવેના નિયમ 144 હેઠળ કાર્યવાહી કરે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. કોર્ટમાં તેમને દંડાત્મક કાર્યવાહીનો અથવા જેલની સજા અથવા તો કોર્ટ બંને સજા ફટકારી શકે છે.

 

હેં! વસઈ-વિરાર પાલિકાની હદમાં આટલી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ, પ્રશાસને કરી કોર્ટમાં કબૂલાત; જાણો વિગત

જાન્યુઆરીથી 30 નવેમ્બર 2021 સુધીના 11 મહિનામાં પશ્ચિમ રેલવેમાં કારણ વગર ચેન ખેંચવાના 3,238 ગુના નોંધાયા હતા, તેમાંથી 1,361 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે એટલે કે 2020માં આ જ આંકડો 1,802નો હતો. તો 692 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે કોવિડ મહામારી ચાલતી હતી એટલે આ આંકડો ઓછો હતો.  

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version