192
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે.
આ પૃષ્ઠભૂમિમાં, BMCએ NESCO, મુલુંડ, કાંજુરમાર્ગ અને દહિસર જમ્બો કોવિડ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મંગળવારથી આ બધા જ જમ્બો કોવિડ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.
છેલ્લાં 22 મહિના દરમિયાન શહેરના 52 હજારથી વધુ દર્દીઓ ચાર સેન્ટરોમાં સારવાર લઈ સાજા થયા છે.
આ ચારેય સેન્ટરોમાં ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર્સ સાથે 6500 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જોકે આ સેન્ટરોના વેન્ટિલેટર્સ, ઓક્સિજન-આઈસીયુના મશીનો વગેરે અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરતા લગભગ દોઢ મહિનો લાગશે.
યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે બહારગામની ટ્રેનોને થશે અસર. જાણો વિગત
You Might Be Interested In