અબ આયા ઊંટ પહાડ કે નીચે! પરમબીર સિંહ તપાસ માટે પહોંચ્યા મુંબઈ, ન્યાયતંત્રને લઈ  કહી આ વાત 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

ગુરુવાર

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે તપાસમાં જોડાવા માયાનગરી પહોંચ્યા છે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જઈ રહ્યા છે અને તેમને દેશની ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.

કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યા બાદ પરમબીર સિંહ હાજર થયા છે.

બે દિવસ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહના બંને ઘરના દરવાજે ઘોષિત ગુનેગારની નોટિસ ચોંટાડી હતી.

મંગળવારે ચોંટાડવામમાં આવેલી આ નોટિસમાં પરમબીર સિંહને 30 દિવસની અંદર તપાસ એજન્સી અથવા કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. 

શેરબજારમાં કમાણીની તકઃ દેશની સૌથી મોટી ખાનગી ઈન્શોરન્સ કંપની લાવી રહી છે IPO, આ કંપનીમાં છે રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More