મુંબઈમાં ઈન્ડિયન નેવીના યુદ્ધ જહાજ INS રણવીરમાં જોરદાર વિસ્ફોટ, આટલા થયા જવાન શહીદ; નૌસેનાએ આપ્યા તપાસના આદેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

બુધવાર.

મુંબઈમાં ઈન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે યુદ્ધ જહાજ આઇએનએસ રણવીરના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો છે. 

આ બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત ત્રણ નેવી જવાન શહીદ થયા છે અને અન્યને ઈજા પહોંચી છે. 

જોકે વિસ્ફોટ પછી તરત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેનાથી જહાજને વધુ નુકસાન થયું નથી. 

નૌસેનાએ આઈએનએસ રણવીરમાં થયેલા વિસ્ફોટ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે .

પ્રથમ દ્રષ્ટિએ આ વિસ્ફોટ કોઈપણ તોડફોડ અથવા કોઈપણ હથિયાર અથવા દારૂગોળાની ખામી સાથે સંબંધિત નથી. વિસ્ફોટનું કારણ મશીનરી નિષ્ફળતા હોઈ શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી! શહેરમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ સામે આવ્યા; જાણો આજના તાજા આંકડા 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More