અસ્મિતા ગુજરાતી દ્વારા ઉચ્ચારણશુદ્ધિના વેબિનારનું આયોજન; આ રીતે જોડાઈ શકો છો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

બુધવાર

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત એવી સંસ્થા અસ્મિતા ગુજરાતી (મુંબઈ)એ એક વેબિનારનું આયોજન કર્યું છે. આ વેબિનારમાં ઉચ્ચારમાં અવારનવાર થતી ભૂલો પર ધ્યાન દોરી અને શબ્દોનું સાચું ઉચ્ચારણ શીખવવામાં આવશે. આ વેબિનારનું આયોજન 3 જુલાઈ, શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ઝૂમના માધ્યમથી યોજાશે.

આ સંદર્ભે વાત કરતાં અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “રમૂજી વાત એ છે કે લગભગ ૮૦% ગુજરાતીઓ ‘શ, ષ અને ક્ષ’ને બદલે સનો પ્રયોગ કરે છે.” તેમના મતે બાળકોને નાનપણથી જ શુદ્ધ ઉચ્ચારણ શીખવવાં જોઈએ, પરંતુ તે શિક્ષકોને પણ છેક એમ.એડ. લેવલ પર શીખવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતીમાં વાતચીત કરતી વખતે સ, શ અને ષના ઉચ્ચારણ પણ લોકો ખાસ ધ્યાન આપતા નથી. તેને કારણે ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે અને એથી જ આ વેબિનારનું આયોજન કરાયું છે.

આ ગુજરાતી ગૃહિણીએ શોખને વ્યવસાયમાં બદલ્યો; આજે યુટ્યુબના માધ્યમે લાખો લોકોને શીખવે છે વિસરાયેલી વાનગીઓ, જાણો વિગત

જો તમે પણ આ વેબિનારમાં જોડવા ઇચ્છતા હો તો દિલીપભાઈ દોશીનો આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો – +91 96199 19215

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More