News Continuous Bureau | Mumbai
સમાજમાં એક મોટી ગેરસમજ છે કે માતૃભાષામાં ભણનારા અંગ્રેજીમાં નબળા રહેશે અને પરિણામે તેઓને કોલેજ અને આગળની કારકીર્તિદીમાં બધા આવશે કે તકલીફ પડશે અને એ પાછળ રહી જશે. આ ભ્રમણાને તોડી છે આપણી માતૃભાષાની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ, જેનો પોતીકી ભાષા એટલે કે માતૃભાષાનો પાયો પાક્કો એ બીજી કોઇપણ ભાષા પર પ્રભુત્વ સરળતાથી મેળવી શકે છે. એટલે આજના વાલીઓને ખાસ જણાવવાનું કે અંગ્રેજીના ખોટા હાઉ થી ડરીને બાળકોને માતૃભાષાથી અડગા ન કરો.
કોઈ એક જ શાળાની ૧૬ વિદ્યાર્થીનીઓ જ્યારે અંગ્રેજીમાં ૮૫ કે ૮૫ થી વધુ ગુણ એસ.એસ.સી. માં મેળવે અને સૌથી વધુ ગુણ ૯૪/૧૦૦ હોય તો ગર્વ લેવું જોઈએ કે આપણી માતૃભાષામાં પણ ઉત્તમ અંગ્રેજી શીખવાડાય છે. આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઘાટકોપરની એસ.પી આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ, આ શાળા ૨૦૨૧/૨૦૨૨ માં ઉત્તમ શાળાનો ખિતાબ જીતી છે, હવે આ જ શાળાની ૧૬ વિદ્યાર્થિનીઓએ એમાં અંગ્રેજીમાં આટલા સરસ ગુણ મેળવીને સફળતાની કલગી લગાડી છે.
આ સમાચાર પણ વાંચો: પોરબંદર : નિરમા ફેક્ટરી અને કોલોનીમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૫ થી વધુ સિક્યુરીટી ગાર્ડને છુટા કરી દેવાતા આક્રોશ