News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેવાડાના ગુજરાતી ભાવક સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
ગયા રવિવારે ડોંબીવલીના ( Dombivli ) તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી તથા મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા.

દીપ પ્રજવલન બાદ, મરાઠીમાં નટરાજ વંદન અને ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના:- ભવાઈ સ્વરૂપે રજૂ થઈ.

બન્ને ભાષાના ( Maharashtra State Gujarati Sahitya Akademi ) નાટકોના આદાન – પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવીક રજૂ કર્યું ત્યાર બાદ બન્ને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો રજૂ થયાં.

‘નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્ય અંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો. ‘અભિનય સમ્રાટ’ નો અંશ સતીશ વ્યાસે ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’નો અંશ રમેશ ભિડેએ તથા ‘ચિત્કાર’ નો નાટ્ય અંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો. ‘અધાંતર’ નો અંશ નિખિલા ઇનામદારે, ‘ નટ સમ્રાટ ‘નો અંશ
આ સમાચાર પણ વાંચો : Anupama leap: અનુપમા માં લિપ બાદ આ પાંચ કલાકારો કહેશે શો ને અલવિદા!વાર્તા માં આવશે મોટો ફેરફાર, જાણો વિગત
પ્રવીણકુમાર વ્યાસે ‘સંતુ રંગીલી’નો સુજાતા મહેતાએ અને ‘ તી ફુલરાણી ‘નો અંશ ડૉ. મોનિકા ઠક્કરે રજૂ કર્યો.

કલ્યાણના નાટ્યકર્મી અશ્વિન દેરાસરી અને ડોક્ટર સૂચકજી તથા મરાઠી નાટ્યકારોનું ( Marathi Drama ) સન્માન થયું.

રૂપાંતરિત નાટકોની ( Gujarati Drama ) વિગત આપી રોચક સંચાલન કર્યું દુર્ગારાજ જોશી અને ડૉ. મોનિકા ઠક્કરે. કાર્યક્રમની પરિકલ્પના અકાદમીના સદસ્ય નિરંજન પંડયાની હતી.
આપણી ગૌરવશાળી ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
