Site icon

Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ “કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય”

Kargil Vijay Diwas: ૨૬ જુલાઈ ૧૯૯૯ ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે.

A special program Kargil War and War Literature by Maharashtra State Gujarati Sahitya Akademi in Kandivali on Sunday on the occasion of Kargil Vijay Diwas.

A special program Kargil War and War Literature by Maharashtra State Gujarati Sahitya Akademi in Kandivali on Sunday on the occasion of Kargil Vijay Diwas.

 News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas: ૨૬ જુલાઈ ૧૯૯૯ ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ( Indian Army ) ફરી કબજો મેળવ્યો હતો. 

Join Our WhatsApp Community

     એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarati Sahitya Akademi ) દ્વારા કેઈએસ ભાષાભવનના સહયોગમાં ( KES Bhasha Bhavan ) એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ‘કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય.’

     નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ મનીષ કચ્છી ( નિવૃત્ત) કારગિલ યુદ્ધ વિષયક અજાણી માહિતી દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત દ્વારા આપશે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના બૅક ઓપરેશનમાં એમણે પોતાની સેવા આપી હતી. તેઓ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાત છે એટલેપ્રશ્નોત્તરી દ્વારા પણ એમની પાસેથી માહિતી મેળવી શકાશે.

      ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ ( Kargil  War ) વખતે યુદ્ધભૂમિ પર રહી રિપોર્ટિંગ કરનારા એકમાત્ર ગુજરાતી પત્રકાર ( Gujarati journalist ) હતા. એમણે એ સમયે  યુદ્ધ વિશેના ઘણા લેખો લખ્યા હતા. તેઓ પણ પોતાના વક્તવ્યમાં એ સમયને માહોલ શ્રોતાઓ સમક્ષ ખડો કરશે.

     ‌ત્રીજા વક્તા જાણીતા પત્રકાર તથા લેખક એવા પ્રફુલ શાહ છે. પ્રફુલભાઈએ વિવિધ મોરચે શહીદ થનારા આપણા જાંબાઝ જવાનો વિશે અનેક લેખો અને એક પુસ્તક લખ્યાં છે.

આ સમાચાર પણ વાંચો  :  Potato Prices: ડુંગળી અને ટામેટાંની જેમ બટાકાના વધતા ભાવ વચ્ચે સરકારે લીધું આ મોટું પગલું, હવે ભૂતાનથી બટાકા આયાત કરવાની તૈયારી.. જાણો વિગતે.

       સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ( KES International School ) ત્રીજા માળના હૉલમાં યોજાયો છે ( લિફ્ટની વ્યવસ્થા છે). ૨૮ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ જાહેર કાર્યક્રમ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version