Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…

Gujarati Sahitya: મહાભારતમાં દુશાસને દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી હતી. આજે માણસ ધરતીમાતાના જંગલો અને ઝાડપાનનું નિકંદન કાઢીને નગ્ન કરવાનું પાપ આચરી રહ્યો છે! શ્રી રમણ પાઠકે લખ્યું હતુંઃ

Gujarati Sahitya Tree Shelter Gachchami By ashwin Mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: મહાભારતમાં ( Mahabharata ) દુશાસને દ્રૌપદીને ( Draupadi ) નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી હતી. આજે માણસ ધરતીમાતાના જંગલો અને ઝાડપાનનું નિકંદન કાઢીને નગ્ન કરવાનું પાપ આચરી રહ્યો છે! શ્રી રમણ પાઠકે ( Raman Pathak )  લખ્યું હતુંઃ

Join Our WhatsApp Community

તું જાત સાથે નવ ઝાડ બાળતો!

જેણે જિંદગીમાં એકેય ઝાડ ઉછેર્યું ન હોય એવો માણસ મરે ત્યારે એક આખું ઝાડ ( tree ) તેની પાછળ બાળવું પડે એ કેમ ચલાવી લેવાય? ગઈકાલનું ઘટાદાર લીલુછંમ વૃક્ષ આજે કોઈની ઠાઠડી બની શબ સાથે બળી મરે! ડૉ. નગીન મોદીએ ( Dr. Nagin Modi ) સાચું જ કહ્યું છેઃ

શહીદ થતા વૃક્ષની ખાંભી કોણ રચશે આ જગે?

છોડમાં રણછોડ અને વેણુ વગાડતા વનમાળીના આ દેશમાં વૃક્ષનું નિકંદન એ ઘોર પાપ ગણાવું જોઈએ. કવિ ઉમાશંકર જોશીએ ( Umashankar Joshi ) ગાયું હતુંઃ

વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી,

 પશુ છે, પંખી છે, ફૂલો, વનોની છે વનસ્પતિ…

એકલપેટો, નગુણો અને નઘરોળ માનવી જનેતા જેવી જન્મભૂમિને ધમરોળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કવિ ઉશનસે પ્રકૃતિના તત્વોની વચ્ચે, આકાશ અને ધરતી પર ફેલાયેલી મનુષ્યની હયાતીને સલૂકાઈથી ગાઈ છેઃ

આ પણ વાંચો : Gujarati Sahitya: હું માનવી માનવ થાઉં તો ઘણું-સુન્દરમ્

હું તૃણ અને તારકોની બીચોબીચ, 

છું તૃણ અને તારકોથી ખીચોખીચ!

એક તણખલું પણ તોડીએ તો વૈશ્વિકલય Cosmic Rhythm ખોરવાય છે અને કવિના હૈયે ઉઝરડો પડે છે. પર્યાવરણની રક્ષા કાજે કોલાહલ કરતો માણસ પહેલાં ઝાડ પાડે છે અને પછી છાંયડો શોધે છે! કવિ ભગવતીકુમાર શર્માની આ પંક્તિઓ વાંચી છે?

થડ નથી હું, ડાળીઓ કે પાંદડાં પણ હું નથી,

 મૂળ છું હું, મારે શા માટે ઉખડવું જોઈએ?

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version