Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે જાણીતા સ્વરકાર નિનુ મઝુમદાર અને વિનાયક વોરાની સ્મૃતિવંદના રૂપે એક કાર્યક્રમ..

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ભવન્સ કલ્ચરલ સેન્ટર,અંધેરીના સહયોગમાં બે ધુરંધર સ્વરકારનાં યોગદાનને યાદ કરી રહી છે. આ બંને સ્વરકાર છે નિનુ મઝુમદાર અને પંડિત વિનાયક વોરા!

by kalpana Verat
Maharashtra Rajya Gujarati Sahitya Akademi This program will be organized by maharashtra state gujarati sahitya akademi

News Continuous Bureau | Mumbai 

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : નિનુભાઈએ ગુજરાતી ગીતો લખ્યાં, સ્વરબદ્ધ કર્યાં, ગાયાં પણ ખરાં , તે ઉપરાંત ૨૦ હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. તેઓ ૧૯૩૧માં મુંબઈ આવ્યા રવીન્દ્ર સંગીતનો અભ્યાસ કર્યો. થોડો વખત તેઓ ઉત્તર પ્રદેશમાં હતા.  ત્યાં ફોક મ્યુઝિકના વિવિધ સ્વરૂપો જેવા કે ચૈતી હોરી, દાદરા વગેરેમાં પણ એમને રસ પડ્યો. ૧૯૫૪માં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો ( India Radio ) માં જોડાયા અને ગુજરાતી સુગમ સંગીતના નવાં ગાયકોને પ્લેટફોર્મ આપ્યું. ૧૯૪૨ થી ૧૯૬૭ વચ્ચે ૨૦ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું સાથે સાથે ૩૨ જેટલાં ગીતો પણ ગાયાં. ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે સંગીત આપ્યું હતું .

This program will be organized by maharashtra state gujarati sahitya akademi

નિનુ મઝુમદાર

૧૯૨૯ માં જન્મેલા સ્વરકાર વિનાયક વોરાને સંગીત વારસામાં મળ્યું .એમના પિતા આચાર્ય નાનાલાલ વોરા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત સંગીતજ્ઞ હતા. રાજકોટથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ મુંબઈ ( Mumbai )  આવીને પંડિત યશવંતરાય પુરોહિત પાસે શાસ્ત્રીય ગાન શીખ્યા. વીણા જેવું એક વાદ્ય તેમણે બનાવ્યું હતું જેને ‘ તાર શહેનાઇ ‘તરીકે એમણે ઓળખાવ્યું હતું .દેશ વિદેશમાં સંગીતના ઘણા કાર્યક્રમ એમણે કર્યા. 

This program will be organized by maharashtra state gujarati sahitya akademi

વિનાયક વોરા

આ બંને દિગ્ગજને એમનાં સ્વરાંકનો દ્વારા અંજલિ આપવાનો કાર્યક્રમ ૧૧ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૬.૩૦ વાગે એસ પી જૈન ઑડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી પશ્ચિમના સરનામે યોજાયો છે. જાણીતા સ્વરકાર, ગાયક, મ્યુઝિક કમ્પોઝર ઉદય મઝુમદાર એમના પિતાશ્રી નિનુ મઝુમદાર વિશે તથા જાણીતા મ્યુઝિક કમ્પોઝર ઉત્તંક વોરા એમના પિતાશ્રી વિનાયક વોરા વિશે કવિ સંજય પંડ્યા સાથે ગોષ્ઠી કરશે. આ બંને સ્વરકારનાં સ્વરાંકન ઉદય મઝુમદાર, ઝરણા વ્યાસ તથા મનીષા ડૉક્ટર રજૂ કરશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય કરી છે વિજય વ્યાસે.

આ સમાચાર પણ વાંચો : Egypt Economic Crisis : પાકિસ્તાન કરતાં પણ ગરીબ છે આ મુસ્લિમ દેશ, UAEને ‘વેચવા’ જઈ રહ્યો છે, ‘ધરતી પરનું સ્વર્ગ’..

આ સંગીતમય સાંજને માણવા પહોંચી જજો એસ પી જૈન ઑડિટોરિયમ , ૧૧ ફેબ્રુઆરીએ!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More