News Continuous Bureau | Mumbai
Bhavai: ભવાઈનો પ્રારંભ થયો અસાઈત ઠાકર દ્વારા ૧૪ મી સદીમાં. અસાઈત ઠાકરે ૩૫૦ ઉપરાંત વેશ લખ્યા.ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા.કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું. મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી .મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) , આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એવું વાતાવરણ તૈયાર કરવા માગે છે.
દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં ૨૩ ઑગસ્ટ શુક્રવારે સાંજે વિલે પાર્લેમાં ( Vile Parle ) ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન અકાદમીએ “ ભવાઈ શિબિર” ( Bhavai Shibir ) નું આયોજન કર્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ ( Gujarati Sahitya ) જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે
આ સમાચાર પણ વાંચો : Rajiv Gandhi: PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ
આ કાર્યક્રમ જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવશે તો એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે તથા હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો આયોજન માટે સહયોગ મળ્યો છે.
તો શુક્રવારે સાંજે પહોંચી જજો દશરથલાલ જોષી વાચનાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે!
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.