Pustak Prakashan: અચૂક વાંચવા જેવી પુસ્તિકા : વિલ-વસિયતનામું શું કામ?

Pustak Prakashan:જાણીતા કરવેરા નિષ્ણાત અને કુશળ વકીલ મૂળ મહુવાના હાલ-મુંબઈ (મલાડ) નિવાસી શ્રી અશ્વિન પારેખે ૭૯ વર્ષની વયે લોકોપયોગી પુસ્તિકા-વિલ-વસિયતનામું શું કામ?નું લેખન-પ્રકાશન કર્યું છે.

Pustak Prakashan Must-Read Booklet What is the purpose of a will

News Continuous Bureau | Mumbai 

Pustak Prakashan: જાણીતા કરવેરા નિષ્ણાત અને કુશળ વકીલ ( lawyer ) મૂળ મહુવાના હાલ-મુંબઈ (મલાડ) નિવાસી શ્રી અશ્વિન પારેખે ( Mr. Ashvin Parekh ) ૭૯ વર્ષની વયે લોકોપયોગી પુસ્તિકા-વિલ-વસિયતનામું ( Will Vasiyatnamu ) શું કામ? નું લેખન-પ્રકાશન ( Writing-Publication ) કર્યું છે. 

Join Our WhatsApp Community

અચાનક આંખ મિંચાઈ જાય અને જિંદગીભર હડિયાપાટી કરીને એકઠી કરેલી સ્થાવર-જંગમ મિલકતના કોઈ વારસદારને વિધિસર સોંપણી ન કરી હોય તો પાછળથી પરિવારજનો અને સ્વજનોને કેવી મુસીબતો સહન કરવી પડે છે તેનો પરિચય તમને કદાચ નહીં હોય.

ધન-સંપત્તિ, જર-જવેરાત, મિલકત, જમીન-જાયદાદ માટે પરિવારોમાં કલહ-કલેશ વધતાં જાય છે ત્યારે કોઈપણ સમજુ-શાણા માણસે વિલ-વસિયતનામું અચૂક બનાવવું જોઈએ. વિલના પ્રકાર, અંતિમ ઇચ્છાઓ, સંયુક્ત વિલ, મરણોત્તર સંપત્તિના વિતરણનું વિલ, વિલની-ભાષા, વિલના કર્તા-હર્તાની નિમણૂંક દાન-ધર્માદાની લેખક અને પ્રકાશક અશ્વિન પારેખ B.Com., LL.B., DB1., ICSI., ICS (U.K) એડવોકેટ, હાઈકોર્ટ જોગવાઈ, મધ્યસ્થીની નિમણૂંક, વિલનું રજીસ્ટ્રેશન, વિલનું અમલીકરણ- આવી અત્યંત માર્ગદર્શક બાબતો સાવ સરળ ગુજરાતીમાં સહુને સમજાય એ રીતે લેખકે રજૂ કરી છે. પચાસ વર્ષની લાંબી કારકિર્દીના અનુભવના આધારે એક બેઠકે વાંચી જવાય એવી આ અત્યંત ઉપયોગી – Must Read- પુસ્તિકા સહુએ અચૂક વાંચવી જોઈએ.

આ પણ વાંચો :  Gujarati Sahitya: હૈયાફાટ રૂદન સાંભળી, યુદ્ધ નહીં – બુદ્ધ લાવો…

 પુસ્તિકા માટે સંપર્કઃ અશ્વિન પારેખ – ૯૬૧૯૭૯૯૩૫૦

 

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version