Site icon News Continuous Bureau | Mumbai

 દેશમાં ગધેડાની સંખ્યામાં થયો ઘટાડો, એક સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.  

બાંધકામના કામમાં, ખાસ કરીને સામાન વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. બ્રુક ઈન્ડિયા (BI) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. દેશભરમાં ગધેડાની કુલ સંખ્યામાં 61.23 ટકાનો ઘટાડો થયો છે. 

સર્વે રિપોર્ટ અનુસાર, 2012 અને 2019ની પશુધન ગણતરી દરમિયાન, ભારતમાં ગધેડાની કુલ સંખ્યામાં 61.23 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગોમાં ગધેડાની કતલ કરવામાં આવી રહી છે. 2012ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં લગભગ 0.32 મિલિયન ગધેડા હતા. 2019 ની પશુધન વસ્તી ગણતરી મુજબ, તેમાં 0.12 મિલિયનનો ઘટાડો થયો છે.

સર્વે હાથ ધરનાર બ્રુક ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટના સભ્ય સરથ કે. વર્માએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ગધેડાની સંખ્યામાં લગભગ 61.23 ટકાનો ઘટાડો થયો છે. BI ટીમે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ભાગોની મુલાકાત લીધી હતી. 2012 અને 2019ની પશુધન ગણતરી દરમિયાન ગધેડાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. અમે ઘણા ગધેડા માલિકો, પશુઓના વેપારીઓ, પશુ મેળાઓના આયોજકો અને રાજ્ય અને કેન્દ્રીય પશુપાલન અધિકારીઓ સાથે વાત કરી જેથી ઘટાડા અંગેની વિગતો જાણી શકાય.”

એક સ્થાનિક ગધેડા વેપારીનો ઉલ્લેખ કરતા વર્માએ કહ્યું, “થોડા વર્ષો પહેલા ચીનમાં એક વ્યક્તિએ દર મહિને 200 ગધેડા ખરીદવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું કે તેને ગધેડાની ચામડી જોઈએ છે." તેમણે વધુમાં કહ્યું કે જીવતા ગધેડા, તેની ચામડી અને માંસની નિકાસ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહી છે.

હવે ED ના રડાર નવાબ મલિકનો દીકરો, તપાસ માટે આવશે તેડુ? જાણો વિગત

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગધેડાઓની સંખ્યા ઘટવા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે. આનું કારણ એ છે કે ગધેડાની ચામડીનો ઉપયોગ પરંપરાગત ચાઈનીઝ દવા 'ઈજિયાઓ' બનાવવા માટે થાય છે. તેમણે કહ્યું "ઇઝિયાઓ જીવન અને સેક્સ ડ્રાઇવને લંબાવવા માટે માનવામાં આવે છે અને તે અન્ય બિમારીઓના ઇલાજમાં ઉપયોગી છે"

દેશના કેટલાક ભાગોમાં ગધેડાના માંસની ખૂબ માંગ છે, કારણ કે તે સ્વાસ્થ્ય લાભો હોવાનું માનવામાં આવે છે. આ પણ એક કારણ છે, જેના કારણે ગધેડાની સંખ્યા ઘટી છે. જો કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા મુજબ, ગધેડાના માંસનો ઉપયોગ ખોરાક માટે કરી શકાતો નથી. ગધેડાનું માંસ ખાવું ખોટું છે. આ અંગે IANSએ જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં તેની તપાસ ચાલી રહી છે.

Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Exit mobile version