Bhikhudan Gadhvi :લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીના ડાયરાને ‘રામ રામ’, વધતી ઉંમરને કારણે લીધો નિર્ણય

by kalpana Verat
Bhikhudan Gadhvi Folk artist Padma Shri Bhikhudan Gadhvi retires from dayra performance

News Continuous Bureau | Mumbai 

Bhikhudan Gadhvi :

  • ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી લીધો સંન્યાસ
  • પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક લોકડાયરાને રામ રામ કરી દેતા લોકસાહિત્ય રસિકોને મોટો આંચકો લાગ્યો છે. 
  • તેમણે આ જાહેરાત આઈશ્રી પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી, તેમણે આજ પછી ક્યારેય ડાયરો ન કરવાની જાહેરાત કરી છે.
  • લોક ગાયક ભીખુદાન ગઢવીએ ગુજરાત સિવાય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લોક સાહિત્યને પહોંચાડવાનું કામ કર્યું છે.
  •  પોતાની રસાળ શૈલીથી પ્રસંગ કથા વર્ણનની ખૂબીએ લાખો લોકોના દિલ જીત્યા છે. 
  • લોક-સાહિત્યના આ જાણીતા કલાકાર 4 દાયકાથી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને પૌરાણિક વાતોને હાસ્યરસ અને માર્મિક ભાષા દ્વારા લોકોને પીરસી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Vocal for Local: ‘વોકલ ફોર લોકલ’ અભિયાન દ્વારા ૨૩ લાખ રૂપિયામાં આટલા કારીગરોને અપાઈ પતંગ બનાવવાની તાલીમ

Join Our WhatsApp Community