News Continuous Bureau | Mumbai
KCR: તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી (Former chief minister) કેસીઆર (KCR)ને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બાથરુમમાં લપસી જવાથી તેમને ઈજા થઈ છે.
આ પછી તરત જ તેમને યશોદા હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા છે.
કેસીઆરની તબિયત હાલમાં સ્થિર છે અને આજે ડોક્ટર કેસીઆરનું હેલ્થ બુલેટિન આપી શકે છે.
કેસીઆરની પુત્રીએ ટ્વિટ કરીને આ સમગ્ર માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (7 ડિસેમ્બર) રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૮ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ