News Continuous Bureau | Mumbai
Puja Khedkar :
- મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તૈનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ પૂજાની તાલીમ રદ કરવામાં આવી છે. સાથે જ તેને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવી છે.
- એટલું જ નહીં તેને આગામી 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.
- લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (ઉત્તરાખંડ) એ મહારાષ્ટ્રમાંથી પૂજાનો તાલીમ કાર્યક્રમ રદ કર્યો છે. એકેડમીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.
- આરોપ છે કે પૂજા ખેડકરે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરીને UPSC પરીક્ષામાં ભાગ લીધો હતો. તેના આધારે તે વિશેષ છૂટ મેળવીને IAS બની.
આ સમાચાર પણ વાંચો : Budget Session 2024: સરકારે બજેટ સત્ર પહેલા આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક, રાહુલ ગાંધી પ્રથમ વખત હાજરી આપશે.