News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે મોટી જાહેરાત કરી છે.
તેમણે રાજ્યની નવી રાજધાની અંગે આ જાહેરાત કરી છે.
મુખ્ય પ્રધાન રેડ્ડીએ જણાવ્યું કે અમરાવતી આંધ્ર પ્રદેશની રાજધાની નહીં બને, પરંતુ વિશાખાપટ્ટનમને રાજ્યની આગામી રાજધાની બનાવવામાં આવશે.
વર્ષ 2014 માં તેલંગાણાના અલગ થયા પછી હૈદરાબાદને આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોની સામાન્ય રાજધાની બનાવવામાં આવી હતી.
આ સાથે જ આવતા વર્ષે 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે. એટલે કે 2024માં હૈદરાબાદ તેલંગાણાને સોંપવામાં આવનાર છે.
આ જ કારણ છે કે આંધ્ર પ્રદેશની આગામી રાજધાની માટે લાંબી રાહ જોવાતી હતી.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાંથી ગૌતમ અદાણી બહાર