ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટેસ્ટ મૅચમાંથી સંન્યાસ લીધા બાદ હવે IPLને પણ અલવિદા કહેશે. ધોનીના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે.
ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ 6 ઑક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી વર્ષમાં તેમના ચાહકો તેમને અંતિમ વાર રમતા જોશે. તેઓ હવે એક જ વર્ષ માટે IPL સિઝન રમશે.
ચેન્નઈ સુપરકિંગ્સની 2022ની સિઝનથી પહેલાં થનારી મેગા લિલામી બાદ મોટા પરિવર્તનની શક્યતા છે. સંભાવના છે કે એમએસ ધોની અંતિમ વખત પીળી જર્સીમાં જોવા મળશે.