Site icon

સચિનની દીકરાનું IPLમાં ડેબ્યૂ, અર્જુન કોલકાતા સામે મેદાનમાં ઉતર્યો

રોહિત શર્મા વિના મુંબઈ ઈન્ડિયન્સ! મેદાનમાં

News Continuous Bureau | Mumbai

મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈ નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતર્યું છે. સૂર્યકમાર યાદવ આજે મુંબઈનો કપ્તાન છે. આ ટીમમાં આજે ઘણા બદલાવ જોવા મળ્યા હતા. અર્જુન તેંડુલકરને પણ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક આપવામાં આવી છે. અર્જુન તેંડુલકર છેલ્લા બે સિઝનથી મુંબઈની ટીમનો સભ્ય છે. પરંતુ તેણે હજુ ડેબ્યુ કરવાનું બાકી હતું. આજે અર્જુનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Community

અર્જુન તેંડુલકર ડાબોડી ફાસ્ટ બોલર છે. તેણે રણજી કપમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે છેલ્લા કેટલાક સમયથી મુંબઈની ટીમ સાથે છે. તેની રમતમાં ઘણો સુધારો થયો હોવાનું જણાય છે. બોલિંગની સાથે તે બેઝ પર મોટા શોટ પણ રમે છે. તેથી અર્જુન આજે મેદાન પર કેવું પ્રદર્શન કરી રહ્યો છે તેના પર સૌનું ધ્યાન છે.  

 

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version