Site icon

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.

Saina Nehwal Retirement: "મારું શરીર હવે સાથ નથી આપતું" - ઈજા અને સંધિવાને કારણે સાયનાએ બેડમિન્ટન કોર્ટને કાયમ માટે કહી અલવિદા

Saina Nehwal Retirement ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ

Saina Nehwal Retirement ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ

News Continuous Bureau | Mumbai
Saina Nehwal Retirement: ભારતીય બેડમિન્ટન જગતમાંથી એક ખૂબ જ ભાવુક કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. દેશને ઓલિમ્પિકમાં પ્રથમ બેડમિન્ટન મેડલ અપાવનારી સ્ટાર ખેલાડી સાયના નેહવાલે રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. છેલ્લા લાંબા સમયથી ઘૂંટણની ઈજા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી સાયનાએ સ્પષ્ટ કર્યું કે તેનું શરીર હવે હાઈ-ઇન્ટેન્સિટી ટ્રેનિંગ અને સ્પર્ધાત્મક રમતની જરૂરિયાતોને સહન કરવા સક્ષમ નથી. 35 વર્ષીય સાયનાએ એક પોડકાસ્ટદરમિયાન આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. તેણે જણાવ્યું કે ગંભીર આર્થરાઈટિસ એટલે કે સંધિવાને કારણે તેનું કાર્ટિલેજ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. સાયનાએ તેનો છેલ્લો પ્રોફેશનલ મેચ વર્ષ 2023માં સિંગાપોર ઓપનમાં રમ્યો હતો, ત્યારબાદ તે સતત કોર્ટથી દૂર જોવા મળી રહી હતી.

ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય શટલર

સાયના નેહવાલનું નામ ભારતના રમતગમતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે ઈતિહાસ રચ્યો હતો. તે બેડમિન્ટનમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સર્વપ્રથમ ખેલાડી બની હતી. તેની આ સફળતાએ દેશમાં બેડમિન્ટનની રમત પ્રત્યે લાખો યુવાનોમાં નવો ઉત્સાહ અને આશા જગાડી હતી.

Join Our WhatsApp Community

વર્લ્ડ નંબર 1 અને ગોલ્ડન કરિયરની સિદ્ધિઓ

વર્ષ 2015 માં સાયના વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 ના સ્થાને પહોંચી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે, જે અત્યાર સુધી કોઈ અન્ય ભારતીય બેડમિન્ટન ખેલાડી કરી શક્યું નથી. આ ઉપરાંત તેણે ઇન્ડોનેશિયા ઓપન જેવી અનેક સુપર સિરીઝ ટાઈટલ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં પણ વિજય મેળવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Michigan Pile-up Accident: અમેરિકાના મિશિગનમાં બરફીલા તોફાનનો કહેર; હાઈવે પર 100 થી વધુ વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત

પદ્મ ભૂષણ અને ખેલ રત્નથી સન્માનિત સ્ટાર

રમતગમતમાં સાયનાના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેને અર્જુન એવોર્ડ (2009), મેજર ધ્યાનચંદ ખેલ રત્ન (2010), પદ્મ શ્રી (2010) અને પદ્મ ભૂષણ (2016) જેવા સર્વોચ્ચ સન્માનો એનાયત કરવામાં આવ્યા છે. સાયનાએ કહ્યું કે તે પોતાની શરતો પર રમત રમી છે અને હવે પોતાની જ મરજીથી આ સફરને પૂર્ણ કરી રહી છે.

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version