કોરોના ગ્રહણ : આ તારીખે યોજાનારી બીસીસીઆઈની વાર્ષિક બેઠક રદ કરાઈ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

શનિવાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠક 30 સપ્ટેમ્બરે મળશે નહીં. 

આ જાણકારી બોર્ડ સચિવ જય શાહે આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય કોવિડ-19 મહામારીને કારણે લેવામાં આવ્યો છે.

તેમણે બીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ બોર્ડસને કહ્યું છે કે આ વર્ષે 30 સપ્ટેમ્બરે મળનારી વાર્ષિક સામાન્ય બેઠક મળશે નહીં.

બેઠક અંગેની તારીખ આગામી સમયમાં લેવામાં આવશે અને ત્યારબાદ તમામ સભ્યોને વાકેફ કરાશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બોર્ડની 89મી સામાન્ય સભા 24 ડિસેમ્બરે મળી હતી. 

કરદાતાઓને મળશે મોટી રાહત: ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો ભરવાની છેલ્લી તારીખ વધી શકે છે! જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More