શું ટી૨૦ વર્લ્ડ કપ નું આયોજન ભારતના હાથમાંથી જતું રહેશે?

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

શનિવાર

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટુર્નામેન્ટ અડધેથી બંધ કરવી પડી. એટલું જ નહીં અનેક ક્રિકેટરો કોરોના ના રોગમાં પટકાયા. અને ક્રિકેટરોના પરિવારજનોમાં હાલ કોરોના થી પરેશાન છે. આ પરિસ્થિતિમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ ન છૂટકે આઇપીએલની તમામ મેચ બંધ કરીને ટુર્નામેન્ટ બંધ કરવી પડી. હવે આંતરરાષ્ટ્રીય ફલક પર માંગ ઉઠી છે કે ભારતમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન પણ લઈ લેવું જોઈએ. જોકે T20 World Cup ને હજી ઘણો લાંબો સમય છે. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોના ની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ પરિસ્થિતિમાં ભારત માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે તો તે આયોજન પણ ખતરામાં પડી શકે છે. આથી અત્યારથી જ માંગણી ઊભી થઈ છે કે ભારતમાંથી ટી20 વર્લ્ડકપને ખસેડવામાં આવે.

ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સતત ત્રીજા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાયા, પ્રથમ વખત મોતનો આંકડો 4 હજારને પાર
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More