297
Join Our WhatsApp Community
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ક્રિકેટ સિરીઝની તારીખ ફાઈનલ થઈ ગઈ છે.
ભારત-શ્રીલંકા વનડે સિરીઝની પ્રથમ મેચ 18 જૂલાઈએ રમાશે. બંને દેશો વચ્ચે ત્રણ એક દિવસીય મેચ રમાવામાં આવશે.
પ્રથમ મેચ 18 જૂલાઈ, બીજી મેચ 20 જૂલાઈ અને અંતિમ અને ત્રીજી મેચ 23 જૂલાઈએ રમાશે.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી કે શ્રીલંકા અને ભારત વચ્ચે આગામી વનડે સિરીઝ 18 જૂલાઈથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ સિરીઝ કોલંબોમાં 13 જૂલાઈએ શરૂ થવાની હતી. પરંતુ શ્રીલંકા ટીમના કેમ્પમાં કોવિડ-19 કેસ સામે આવ્યા બાદ તારીખ આગળ વધારી દેવામાં આવી છે.
You Might Be Interested In