ધોનીની ટીમ CSK ને વધુ એક ઝટકો, ઈજા થવાના કારણે આ ખિલાડી IPL 2020માંથી થયો બહાર.. જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

21 ઓક્ટોબર 2020

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ધોનીની ટિમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ  નથી લઈ રહી. આ દરમિયાન ચેન્નાઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને કમર પર ઈજા પહોંચવાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ અંગેની જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને જ આપી છે. કાસી વિશ્વનાથનના જણાવ્યા અનુસાર ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાના કારણે આઈપીએલની 13મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેણે આ સીઝનમાં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને જેમાં બે ઈનિંગમાં તેણે ફક્ત છ સાત રન જ બનાવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવો આ વર્ષે આઈપીએલ 2020માંથી બહાર થનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો ત્રીજો ખેલાડી છે. આ અગાઉ સુરેશ રૈના અને હરભજન સિંહ વ્યક્તિગત કારણોસર પોતે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, આ બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટ શરૂ થઈ તે અગાઉ જ પોતાના નામને પરત ખેંચી લીધું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More