Site icon

શાબ્બાશ! આ રાજ્યના મુખ્ય પ્રધાન ઑલિમ્પિક વિજેતા માટે બનશે શેફ, પોતાના હાથે પકવાન બનાવી ખવડાવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે એક નવો ચીલો ચાતર્યો છે. રાજ્યના ઑલિમ્પિક વિજેતાઓ માટે તેઓ બુધવાર રાતના પટિયાલામાં મિજબાનીનું આયોજન કર્યું છે. ભોજનસમારંભમાં તેઓ શેફ બનવાના છે. એટલે કે તેઓ પોતાના હાથે વિજેતાઓ માટે જુદાં-જુદાં પકવાન બનાવીને તેમને ખવડાવાના છે. આ સમારંભ માટે કૅપ્ટન સિંહ પારંપારિક વ્યંજનો બનાવવાના છે. જેમાં પુલાવ, મટન, ચિકન, આલુ, મીઠો પુલાવ જેવી વાનગીઓ તેઓ બનાવવાના છે.

મુખ્ય પ્રધાનના મીડિયા સલાહકારે મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. પંજાબના ઑલિમ્પિક પદક વિજેતાઓને આપેલા વચન મુજબ મુખ્ય પ્રધાન પોતાના હાથે ભોજન તૈયાર કરશે. આ ભોજનસમારંભમાં  નીરજ ચોપડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

એક જ યુવાન જોડે પરણવા તેની બે પ્રેમિકાઓ જીદે ચડી; પછી યુવકે ઉછાળવો પડ્યો સિક્કો. જાણો શું છે કિસ્સો

અહીં ઉલ્લેખનીય છે કે કૅપ્ટન સિંહ એક સારા શેફ પણ છે. તેઓએ ગયા મહિને  પંજાબના ટોકિટો ઑલિમ્પિકના વિજેતા ખેલાડીઓના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે પોતાના હાથે ભોજન બનાવીને ખવડાવાનું વચન આપ્યું હતું.

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version