Site icon

ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો: પંજાબ પોલીસે કેસ સુલઝાવી દીધો, 3 આરોપીની ધરપકડ કરી… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 સપ્ટેમ્બર 2020 

ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો પંજાબ પોલીસે ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે. આ અંગે પંજાબ સરકારે કહ્યું છે કે આ કેસમાં 11 વધુ આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, ‘પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.’

ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટે સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. પોતાના સંબંધીઓની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો હતો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ રૈનાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટેગ કરીને લખ્યું હતું કે, અમને ખબર નથી કે તે રાત્રે શું થયું હતું અને કોણે આ કૃત્ય કર્યું. હું પંજાબ પોલીસને આ મામલા પર ધ્યાન આપવા આગ્રહ કરું છું. અમે કમસે કમ એ જાણવા માટે હકદાર છીએ કે તેમની સાથે આ આવું કૃત્ય કોણે કર્યું. આ અપરાધીઓને વધુ અપરાધ કરવા માટે છોડવા ન જોઈએ.

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
Exit mobile version