રવિ શાસ્ત્રી બાદ આ દિગ્ગજ બેટ્સમેન બની શકે છે ભારતીય ટીમના મુખ્ય કોચ, જાણો વિગતે

by Dr. Mayur Parikh

ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડની શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

પૂર્વ ક્રિકેટર રિતિન્દર સિંઘ સોઢીનું કહેવું છે કે દ્રવિડ ટીમ ઈન્ડિયાના રવિ શાસ્ત્રીની મુખ્ય કોચ તરીકેની જગ્યા લઈ શકે છે. 

હાલ રાહુલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી ત્રણ વનડે અને ટી 20 મેચની શ્રેણી રમાવાની છે. 

રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ સાથે છે, જે ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. 

શત્રુઘ્ન સિન્હા બનવાના હતા ‘શોલે’ના જય, પરંતુ આ કારણથી ન કરી શક્યા આ બ્લૉકબસ્ટર ફિલ્મ; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment