Site icon

Ruturaj Gaikwad Wedding: ઋતુરાજ ગાયકવાડ મહિલા ક્રિકેટર સાથે ત્રણ જૂને કરશે લગ્ન

ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે 3 જૂને ઉત્કર્ષા ગાયકવાડ સાથે લગ્ન કરશે. ઉત્કર્ષ મહારાષ્ટ્રની ક્રિકેટર છે. તેણી તેના રાજ્ય માટે રમી છે.

Ruturaj Gaikwad to marry Cricketer Utkarsha Powar

Ruturaj Gaikwad Wedding: ઋતુરાજ ગાયકવાડ મહિલા ક્રિકેટર સાથે ત્રણ જૂને કરશે લગ્ન

News Continuous Bureau | Mumbai

ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે 3 જૂને ઉત્કર્ષા ગાયકવાડ સાથે લગ્ન કરશે. ઉત્કર્ષ મહારાષ્ટ્રની ક્રિકેટર છે. તેણી તેના રાજ્ય માટે રમી છે. તે જમણા હાથની બેટ્સમેન છે. તેણીએ નવેમ્બર 2021 માં સિનિયર મહિલા વન-ડે ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. 24 વર્ષની ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે.

Join Our WhatsApp Community

ઋતુરાજે આઈપીએલ ફાઈનલ બાદ ફોટો શેર કર્યો હતો

IPL 2023નો ખિતાબ જીત્યા બાદ ઋતુરાજ ગાયકવાડે ધોની સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં એક છોકરી જોવા મળી હતી, આ છે ઉત્કર્ષા પવાર. ઋતુરાજે તેને તેના જીવનની સૌથી ખાસ વ્યક્તિ ગણાવી હતી અને હવે તે તેની જીવન સાથી બનવા જઈ રહ્યો છે. આ ફોટો સામે આવ્યા પછી જ નક્કી થયું કે ઋતુરાજ ઉત્કર્ષા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ IPL 2023માં ઉત્કર્ષાના સંપર્કમાં હતો. તેણે 16 મેચની 15 ઇનિંગ્સમાં 42.14ની એવરેજ અને 147.50ની સ્ટ્રાઇક રેટથી 590 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા છે. તેણે આ સીઝનમાં ચાર અડધી સદી પણ ફટકારી હતી અને તેની સૌથી મોટી ઇનિંગ્સ 92 રનની હતી. તે IPLમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પણ તેનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ભારત માટે એક ODI અને નવ T20I રમી ચૂકેલા ઋતુરાજે દેશ માટે કુલ 154 રન બનાવ્યા છે. તેણે ટી20માં પણ અડધી સદી ફટકારી છે. જો કે, સતત તકો મળે ત્યારે તે વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો: સાવધાન / વધુ પડતી ગ્રીન ટીનો ઉપયોગથી થઈ શકે છે નુકસાન, જાણો તેના સાઈડ ઈફેક્ટ

WTC Final: હરભજન સિંહે પસંદ કરી ટીમ ઇન્ડિયાની સંભવિંત પ્લેઇંગ ઇલેવન

IPL-2023 બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 7 જૂનથી ઓવલ મેદાન પર ટકરાશે. ભારત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ટીમે 2021માં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ક્રિકેટ ચાહકોને આશા છે કે રોહિત શર્મા બ્રિગેડ આ વખતે ચેમ્પિયન બનીને ICC ટ્રોફીની તેમની ઘણા વર્ષોની આશા પૂર્ણ કરશે. ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ટ્રોફી જીતી શકી નથી. ટીમે છેલ્લી વખત 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

T20 World Cup 2026: પાકિસ્તાનના ઇનકાર વચ્ચે સૂર્યકુમાર યાદવનું સ્પષ્ટ નિવેદન: “અમે કોઈને ના નથી કહી”
IND vs PAK: પાકિસ્તાનના નિર્ણય પર ICC લાલચોળ! ભારત સામેના મેચનો બહિષ્કાર કરવા બદલ થઈ શકે છે મોટી કાર્યવાહી
T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Exit mobile version