Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન પાંસળીમાં થઈ હતી ઈજા, ઈજા બાદ ICUમાં કરાયો હતો દાખલ.

by aryan sawant
Shreyas Iyer શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ

News Continuous Bureau | Mumbai

Shreyas Iyer ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. BCCI એ માહિતી આપી છે કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા અય્યરનું સ્વાસ્થ્ય હવે સારું છે. કેચ પકડતી વખતે ઈજા થતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા શ્રેયસ

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે પાંસળીમાં જોરદાર ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઉંચો શોટ માર્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા અય્યરે ઝડપથી દોડીને સફળતાપૂર્વક કેચ પકડી લીધો, પરંતુ જમીન પર પડતી વખતે તેમની ડાબી પાંસળીઓ પર જોરદાર આંચકો લાગ્યો. ઈજાના કારણે તેમને આંતરિક રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર

BCCIએ આપ્યું હેલ્થ અપડેટ

BCCI એ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા જણાવ્યું કે શ્રેયસ અય્યરને ઈજાગ્રસ્ત થવાને કારણે આઈસીયુમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ હતી. હવે તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે અને તેમને સિડનીની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમનો ઈલાજ સફળ રહ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More