નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ(BCCIસુપ્રીમ કોર્ટ(SUpreme courtતરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા બાદ બીસીસીઆઈમાં સતત બે વાર એટલે કે 6 વર્ષ સુધી હોદ્દા પર ટકી રહેવા પર 3 વર્ષનો કુલિંગ પીરિયડ(cooling periodહશે. હવે હોદ્દેદારો પાસે બીસીસીઆઈ અને કોઈ પણ રાજ્ય એસોસિએશન(State associationમાં એક વખતે વધારેમાં વધારે 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે. 

મહત્વનું છે કે બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ વધારા માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએને એવો પણ આદેશ આપ્યો કે બંધારણમાં સુધારા વધારા વખતે તેનો મૂળ હાર્દ યથાવત રહે તેની કાળજી રાખવી પડશે. 

 આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી(Saurav Gangulyઅને સેક્રેટરી પદ જય શાહ(Jay Shahનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More