Site icon

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના(Karnatka) દક્ષિણ કન્નડ જિલ્લામાં(Kannad District) બીજેપી યુવા મોરચાના(BJP Yuva Morcha ) જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની(Praveen Nettaru) ક્રૂરતાપૂર્વક ભરી હત્યા(Brutally killed) કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે(Bellari) ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન(Poultry shop) ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી(Sharp weapon) તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત(Injured) થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો. 

Join Our WhatsApp Community

દક્ષિણ કન્નડના એસપીએ(SP) જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે કોઇ સીસીટીવી કેમેરા(CCTV Camera) હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરની શોધ કરવામાં આવશે. પોલીસે યુવા નેતાઓની નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરી છે. હત્યાનું કારણ વિશે હજુ માહિતી મળી નથી.

દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ(CM  Basavaraj Bommai) બીજેપી યુવા નેતાની(BJP Young Leader) હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ(Tweet) કરીને કહ્યું કે, દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારી પાર્ટીના કાર્યકર્તા પ્રવિણ નેટ્ટારુની બર્બર હત્યા નિંદનીય છે. આ પ્રકારના જધન્ય અપરાધ કરનારની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે અને કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. પ્રવિણની આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 

આ સમાચાર પણ વાંચો :  હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

બીજેપી યુવા મોરચાના નેતાની હત્યા પછી બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. પ્રવિણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં રાત્રે જ રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અપરાધીઓની(Criminals) જલ્દી ધરપકડ કરવાની માંગણી કરી છે. કર્ણાટકમાં ૨૩ જૂનના રોજ બીજેપીના નેતા મોહમ્મદ અનવરની(Mohammad Anwar) પણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હત્યારાઓએ ચપ્પાથી પ્રહાર કરી હત્યા કરી હતી. મોહમ્મદ અનવર ચિકમંગલુરના અર્બન યૂનિટના બીજેપીના મહાસચિવ હતા.

Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Exit mobile version