236
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો આદેશ આપ્યો છે.
કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, સુપરટેકના ૪૦-૪૦ માળના ટ્વિન ટાવર્સને તોડવામાં આવશે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સુપરટેક પોતાના પૈસે આને ત્રણ મહિનાની અંદર તોડવાની સાથે ફ્લેટના માલિકોની રકમ 12 ટકા વ્યાજ સહિત પરત કરે.
સાથે જ ટાવર્સ તોડતી વખતે બીજી બિલ્ડિંગ્સને નુકસાન ન પહોંચવું જોઇએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ એમઆર શાહે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે, આ ટાવર નોઇડા ઓથોરિટી અને સુપરટેકની મિલીભગતથી બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં ઇલાહાબાદ હાઇકોર્ટે આ ટાવર્સને તોડવાનો આદેશ કર્યો હતો. જેને હવે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય માન્યું છે.
You Might Be Interested In