News Continuous Bureau | Mumbai
અકોલામાં શનિવાર, 13 મેના રોજ, હરિપેઠ વિસ્તારમાં મધ્યરાત્રિએ, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર બે જૂથો વચ્ચે દલીલ થઈ અને દલીલ મારપીટમાં ફેરવાઈ ગઈ. આ સમયે રસ્તાઓ પર વાહનોની તોડફોડ અને આગચંપી થઈ હતી. પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ રમખાણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે પોલીસકર્મીઓ સહિત 10 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને હાલમાં તંગ શાંતિ છે. મળતી માહિતી મુજબ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે ઘટના સ્થળે જાય તેવી શક્યતા છે.
Maharashtra Akola Muslims rioting and attacking Police station.
Where are the Self Certified Khattar Hindus who are the ones protecting the Hindus? ₹2 Cowards IT Celliyas hiding under the bed.
Don't worry RSS, VHP and BJP Govt will protect you and your families. pic.twitter.com/xSHgmNR83O
— Arun Pudur (@arunpudur) May 14, 2023
કલમ 144 લાગુ
અકોલામાં એક વ્યક્તિની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ થયો હતો. ચોક્કસ સમુદાયના તોફાનીઓએ શનિવારે રાત્રે અકોલા શહેરના રસ્તાઓ પર વાહનોને આગ ચાંપી કરી હતી. ફાયર ફાઈટરના વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરમાં ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટમાં આવેલી દુકાનો અને પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હવે અઠવાડિયાની શરૂઆત છે ત્યારે તમામનું ધ્યાન રોજીંદા કામકાજ ક્યારે સુચારૂ થશે તેના પર કેન્દ્રિત છે.
આ સમાચાર પણ વાંચો: ચૂભતી જલતી ગરમી કા મોસમ આયા, અડધા મહારાષ્ટ્રમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર.. જાણો મુંબઈ શહેરમાં કેટલું છે તાપમાન..
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 45 આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી ફરાર છે, હાલ તેની શોધખોળ ચાલુ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે અકોલા જાય તેવી શક્યતા છે. આ પહેલા ભાજપના નેતા ગિરીશ મહાજને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
