News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) બાદ ફરી એકવાર મંદિર મસ્જિદોને લઇને ચર્ચા થઇ ગઇ છે. તે જગ્યાઓની વાત થવા લાગી છે, જ્યાં ઔરંગઝેબના રાજમાં(reign of Aurangzeb) મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી. ઔરંગઝેબે ભારત પર ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી રાજ કર્યું. તેના શાસનમાં ભારતમાં ૧૦૦૦ હિંદુ મંદિરોને(Hindu temples) તોડવામાં આવ્યા. ઘણા મંદિર એવા હતા, જેમને તોડીને ત્યાં મંદિર બનાવવામાં આવી.
સોમનાથ મંદિરને(Somnath temple) બે વાર ઔરગઝેબના શાસન તોડવામાં આવ્યું. પહેલીવાર મંદિરને ૧૬૬૫ માં ધ્વસ્ત કરવામાં આવ્યું. પરંતુ ઔરગઝેબને ખબર પડી કે હિંદુ ફરી ત્યાં પૂજા કરી રહ્યા છે. ત્યારબાદ તેણે સેનાને લૂંટી અને નરસંહાર કરવા મોકલ્યા. ૧૭૧૯ માં ઇનાયતુલ્લાએ ઔરગઝેબના(Inayatullah Aurangzeb) પત્રો અને આદેશોનું કલેક્શન બનાવ્યું હતું. તેમાં ઔરગઝેબના શાસનકાળના ૧૬૯૯-૧૭૦૪ ના વર્ષોનો ઉલ્લેખ છે.
૧૬૬૯ માં ઔરંગઝેબએ કાશી વિશ્વનાથ મંદિરને(Kashi Vishwanath Temple) તોડવાનો આદેશ આપ્યો હતો. મંદિરને ધ્વસ્ત કરી અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી. મંદિરના અવશેષ આજે પણ પાયા, થાંભલા અને મસ્જિદની પાછળવાળા ભાગમાં જાેઇ શકો છો. આજે મસ્જિદને અડીને આવેલા કાશી વિશ્વના મંદિરમાં શ્રદ્ધાળુ પૂજા કરે છે, તે પરિસરનું નિર્માણ ઇન્દોરની(Indore) અહિલ્યા બાઇ હોલ્કરે(Ahilya Bai Holkar) ૧૭૮૦ માં કરાવ્યું હતું. માસીર-એ-આલમગિરીના(Masir-e-Alamgiri) ઇસ્લામી રેકોર્ડમાં કહેવામાં આવ્યું કે ૯ એપ્રિલ, ૧૬૬૯ ના રોજ ઔરંગજેબે એક 'ફરમાન' જાહેર કર્યું હતું. જેમાં તમામ પ્રાંતોના ગર્વનરોને હિંદુઓની સ્કૂલો અને મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી ચૂંટણીની મોસમ, રાજ્યસભાની 57 બેઠકો માટે થશે મતદાન; જાણો કયા રાજ્યમાં કેટલી સીટો છે ખાલી
બીજામંડળ, જેને વિજય મંદિરના નામથી ઓળખવામાં આવે છે, વિદિશા જિલ્લાના મુખ્યાલયમાં સ્થિત છે. ૧૧ મી સદીમાં બનેલા આ મંદિરને ૧૬૮૨ માં નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેના વિધ્વંસ બાદ મુગલ સમ્રાટ ઔરંગઝેબએ આ જગ્યા પર આલમગિરી મસ્જિદ(Alamgiri Mosque)નું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદને બનાવવામાં નષ્ટ કરવામાં આવેલી મંદિરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગોલકોંડા પર કબજો કરતાં ઔરંગઝેબએ અબ્દુર રહીમ ખાનને(Abdur Rahim Khan) હૈદરાબાદ(Hyderabad) શહેરના ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં હિંદુઓની પ્રથાઓ, મંદિરોને નષ્ટ કરવા અને તેમની સાઇટો પર મસ્જિદોના નિર્માણનો આદેશ આપ્યો હતો. ઔરંગઝેબએ મથુરાના કેશવદેવ મંદિરને પણ ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું અને તેની જગ્યાએ ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી. ઔરંગઝેબે મંદિરમાંથી બધું ધન પણ લૂંટી લીધું હતું. કેશવદેવ મંદિરને જાન્યુઆરી ૧૬૭૦ માં ધરાશાયે કરવામાં આવ્યું હતું. ઔરગઝેબની કાર્યવાહી રણનિતીથી પણ પ્રેરિત થઇ શકે છે, કારણ કે જે સમયે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું હતું, તે સમયે તે મથુરા ક્ષેત્રમાં બુંદેલોની સાથે સાથે સાથે જાટ વિદ્રોહની સાથે સમસ્યાઓનું સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય
સરહિંદ સરકારના એક નાનનકડા ગામમાંથે એક સિખ મંદિરને તોડી એક મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. તેના માટે એક ઇમામની નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારી નાખવામાં આવ્યા. કહેવામાં આવે છે કે બનારસની મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબએ વિશેશ્વર મંદિરની જગ્યા પર કરાવ્યું હતું. તે મંદિર હિંદુઓ વચ્ચે પવિત્ર હતું. આ જગ્યા પર તે પથ્થરો વડે ઔરંગઝેબે એક ઉંચી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. બનારસની બીજી મસ્જિદનું નિર્માણ ગંગા તટ પર કોતરમાં આવેલા પથ્થરોથી કરવામાં આવ્યું હતું. આ ભારતની પ્રસિદ્ધ મસ્જિદોમાંથી એક છે. તેમાં ૨૮ ટાવર છે, જેમાંથી એક ૨૩૮ ફૂટ લાંબો છે. આ ગંગા તટ પર છે અને તેનો પાયો પાણીમાં ફેલાયેલો છે. ઔરંગજેબએ મથુરામાં પણ એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મસ્જિદનું નિર્માણ ગોવિંદ દેવ મંદિરની જગ્યા પર કરવામાં આવ્યું હતું.