Site icon

 પાક. શરણાર્થીઓનો ભોગ લેનાર નીકળી પરિવારની જ પુત્રી, આપ્યાં હતાં ઝેરના ઇન્જેક્શન.. વાંચો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓગસ્ટ 2020

રાજસ્થાનના જોધપુર જિલ્લા માં એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત અંગે પ્રાથમિક માહિતી બહાર આવી છે. એક અનુમાન મુજબ આ જ પરિવારના બુધારામની 38 વર્ષીય પુત્રી લક્ષ્મીએ ઝેરના ઇન્જેક્શન આપી પરિવારના તમામ સભ્યોની હત્યા કરી હતી. તમામ મૃતકોને પહેલાં ખાવામાં ઊંઘની ગોળી આપી હતી. ત્યારબાદ લક્ષ્મીએ ઉંદર મારવાની ઝેરી દવાના ઇન્જેક્શન દરેકના હાથમાં માર્યા હતા..

પોલીસને લક્ષ્મી પર શંકા હોવાનું મોટું કારણ એ હતું કે લક્ષ્મી પાકિસ્તાનથી નર્સિંગનો કોર્ષ કરીને ભારત આવી હતી. આથી લક્ષ્મી જાણતી હતી કે ઊંઘમાં કોઈના હાથમાં એક ઝેરી ઇન્જેક્શન કેવી રીતે આપવું.. કહેવાય છે કે ઘણા સમયથી લક્ષ્મીના પરિવારમાં કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. જેનાથી તે કંટાળી ગઈ હતી. આ પરિવાર ડિસેમ્બર 2015 માં પાકિસ્તાનથી ભારત આવ્યો હતો

નોંધનીય છે કે રાજસ્થાનના જોધપુરથી સામે આવેલી હ્રદયદ્રાવક ઘટનામાં એક સાથે 11 લોકોના શબ મળવાથી હડકંપ મચ્યો હતો. આ 11 જણમાં ચાર મહિલાઓ, બે બાળકો અને પાંચ પુરુષોના મૃતદેહ સામેલ છે.

આ 11 લોકો પાકિસ્તાની શરણાર્થી હતાં અને તમામ એક સ્થાનિક ખેતરમાં કામ કરતાં હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરતાં સંગઠનના નેતા વધુ માહિતી મેળવવા માટે રાજસ્થાનના હરિદાસોતા ગામ પહોંચવાના છે. જ્યારે પોલીસ આ ઘટનામાં તમામ પાસા તપાસી રહી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version