Site icon

ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રના સાંસદો અનેક જનપ્રતિનિધિઓ કોરોનાની ચપેટમાં ; અત્યાર સુધીમાં 13 મંત્રીઓ અને આટલા ધારાસભ્યો થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. 

કોરોનાનો આંકડો છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યાની સાથે રાજ્યના ઘણા નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 

પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 13 મંત્રીઓ અને 70 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જનતાનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનો સામાજિક સ્તરે અનેકને મળી રહ્યા છે, ઘણા લોકોના સંપર્કમાં છે, જેથી એક પછી એક જનપ્રતિનિધિઓ કોરોના પોઝિટિવ મળી આવતાં ચિંતા વધી છે.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version