ઈટાલીથી આવેલી ફ્લાઇટમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, આટલા મુસાફરો આવ્યા પોઝિટિવ; જાણો વિગતે

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

શનિવાર.

પંજાબમાં અમૃતસર એરપોર્ટ પર ઇટાલીથી આવેલી ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત મુસાફરો ફરી ભારતમાં આવી પહોંચ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ શુક્રવારે ઇટાલીથી આવેલી સળંગ બીજી ફ્લાઈટમાં 150 કોરોનાગ્રસ્ત મુસાફરો આવ્યા છે. 

હાલ તમામ મુસાફરોને અમૃતસરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

નોઇસ એરલાઇન્સની ઉડાન કુલ 290 પ્રવાસીઓને લઈને ઇટાલીના મિલાન શહેરથી અમૃતસર પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ ઈટાલીથી આવેલી ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં 170માંથી 125 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી ફરી કોવિડ હોટ-સ્પોટ બનશે? આજે આટલા નવા કેસ આવ્યા સામે, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર; જાણો વિગતે 
 

Exit mobile version