Site icon

યુપી-એમપી-બિહારમાં ભીષણ રોડ અકસ્માત, 16 કામદારોનાં મોત, 50 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

14 મે 2020

 મધ્યપ્રદેશથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. બુધવારની મોડી રાત્રે 60 થી વધુ પ્રવાસી મજૂરો લઈ જતી બસ નો અકસ્માત થતાં 8 મજૂરોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.

  બીજી બાજુ ઉત્તરપ્રદેશથી મુજ્જફરનગરની રોડવેઝ બસે પગપાળા જતા મજૂરોને બસ નીચે કચડી કાઢ્યા છે. આમાં 6 લોકોના મોત નિપજ્યા છે.

   આ સાથે જ બિહારથી પણ રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે પ્રવાસી મજૂરોનું અવસાન થયું છે. આમ  એક જ રાતમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં વિવિધ રોડ અકસ્માતમાં 16 જેટલા મજુરો મોતને ભેટયા છે. પોલીસ ની માહિતી મુજબ કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આ લોકો રોડની કિનારી કિનારે ચાલીને જતા હોય છે ત્યારે મોટાભાગના હાઈવે હાલ ખુલ્લા હોવાથી ઓવર સ્પીડીંગને કારણે આ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જે તે રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરોમાં કોઈ મહારાષ્ટ્રથી તો કોઈ પંજાબથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version