Site icon

યુપી-એમપી-બિહારમાં ભીષણ રોડ અકસ્માત, 16 કામદારોનાં મોત, 50 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

14 મે 2020

 મધ્યપ્રદેશથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. બુધવારની મોડી રાત્રે 60 થી વધુ પ્રવાસી મજૂરો લઈ જતી બસ નો અકસ્માત થતાં 8 મજૂરોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.

  બીજી બાજુ ઉત્તરપ્રદેશથી મુજ્જફરનગરની રોડવેઝ બસે પગપાળા જતા મજૂરોને બસ નીચે કચડી કાઢ્યા છે. આમાં 6 લોકોના મોત નિપજ્યા છે.

   આ સાથે જ બિહારથી પણ રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે પ્રવાસી મજૂરોનું અવસાન થયું છે. આમ  એક જ રાતમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં વિવિધ રોડ અકસ્માતમાં 16 જેટલા મજુરો મોતને ભેટયા છે. પોલીસ ની માહિતી મુજબ કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આ લોકો રોડની કિનારી કિનારે ચાલીને જતા હોય છે ત્યારે મોટાભાગના હાઈવે હાલ ખુલ્લા હોવાથી ઓવર સ્પીડીંગને કારણે આ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જે તે રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરોમાં કોઈ મહારાષ્ટ્રથી તો કોઈ પંજાબથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા..

Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
Exit mobile version