Site icon News Continuous Bureau | Mumbai

યુપી-એમપી-બિહારમાં ભીષણ રોડ અકસ્માત, 16 કામદારોનાં મોત, 50 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

 મધ્યપ્રદેશથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. બુધવારની મોડી રાત્રે 60 થી વધુ પ્રવાસી મજૂરો લઈ જતી બસ નો અકસ્માત થતાં 8 મજૂરોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.

  બીજી બાજુ ઉત્તરપ્રદેશથી મુજ્જફરનગરની રોડવેઝ બસે પગપાળા જતા મજૂરોને બસ નીચે કચડી કાઢ્યા છે. આમાં 6 લોકોના મોત નિપજ્યા છે.

   આ સાથે જ બિહારથી પણ રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે પ્રવાસી મજૂરોનું અવસાન થયું છે. આમ  એક જ રાતમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં વિવિધ રોડ અકસ્માતમાં 16 જેટલા મજુરો મોતને ભેટયા છે. પોલીસ ની માહિતી મુજબ કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આ લોકો રોડની કિનારી કિનારે ચાલીને જતા હોય છે ત્યારે મોટાભાગના હાઈવે હાલ ખુલ્લા હોવાથી ઓવર સ્પીડીંગને કારણે આ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જે તે રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરોમાં કોઈ મહારાષ્ટ્રથી તો કોઈ પંજાબથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા..

Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Uddhav Thackeray। મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી
Pune Gas Leak। પુણેમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, લોકોએ ઘરની બહાર વિતાવી રાત
Exit mobile version