Site icon News Continuous Bureau | Mumbai

જાણો ગુજરાતના એવા ધનિક ગામ વિશે જેની બેંકમાં જમા છે 5000 કરોડ રૂપિયા…

News Continuous Bureau | Mumbai

ભારતના આ ગામનું નામ વિશ્વના સૌથી અમીર ગામોમાં(Rich villages) શામેલ છે. આ ગામમાં રહેતા લોકો શહેરો અને નગરોમાં રહેતી ભારતની અડધી વસ્તી કરતાં વધુ સમૃદ્ધ છે.જેના કારણે તેનું નામ વિશ્વના સૌથી અમીર ગામોમાં શામેલ થયું છે. આ ગામમાં સત્તર બેંક(Banks), શાળાઓ, કોલેજો, તળાવો, ઉદ્યાનો, હોસ્પિટલો અને મંદિરો છે

Join Our WhatsApp Channel

ગુજરાતના(Gujarat) કચ્છ જિલ્લાના(Kutch district) માધાપર ગામમાં(Madhapar village) 17 જેટલી બેંકો આવેલી છે. આ ગામમાં 7600 થી વધુ મકાનો છે અને તમામ પાકાં મકાનો છે. ગામના લોકોએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા બેંકોમાં જમા કરાવ્યા છે. હા કચ્છ જિલ્લામાં હાલના અઢાર ગામો પૈકી એક ગામનું નામ માધાપર છે.

એક અહેવાલ મુજબ, આ ગામમાં રહેતા દરેક વ્યક્તિના બેંક ખાતામાં(bank account) 15 લાખ રૂપિયા છે. આ ગામમાં સત્તર બેંકો ઉપરાંત શાળા, કોલેજ, તળાવ, ઉદ્યાનો, હોસ્પિટલ અને મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં એક ગૌશાળા પણ આવેલી છે.

આ સમાચાર પણ વાંચો:  પવિત્ર ચારધામ યાત્રા પર ઠગોનો અડ્ડો… આ રીતે શ્રદ્ધાળુઓને સાથે કરી રહ્યું છે ઠગી… જાણો વિગતે

આ ગામ ભારતના અન્ય ગામો કરતા અલગ કેમ છે? તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, આ ગામમાં રહેતા મોટાભાગના લોકોના સંબંધીઓ વિદેશમાં રહે છે. આમાં યુકે(UK), અમેરિકા(USA), આફ્રિકા(Africa) ઉપરાંત ગલ્ફના દેશો પણ શામેલ છે. માધાપર ગામના 65 ટકા લોકો NRI છે, જેઓ તેમના પરિવારોને નોંધપાત્ર નાણાં મોકલે છે. આવા ઘણા લોકો છે, જેઓ વર્ષો સુધી વિદેશમાં રહીને માધાપર પરત ફર્યા છે, અહીં આવ્યા બાદ તેઓ અનેક પ્રકારના ધંધા શરૂ કરીને કમાણી કરી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, માધાપર વિલેજ એસોસિએશનની(Madhapar Village Association) રચના લંડનમાં(London) 1968માં કરવામાં આવી હતી. વિદેશમાં માધાપરના લોકો એક જગ્યાએ સભાઓ કરી શકે તે માટે તેની રચના કરવામાં આવી હતી. તેની ઓફિસ પણ માધાપરમાં ખોલવામાં આવી હતી. જે લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. આ ગામના 65 ટકા લોકો ભલે વિદેશમાં રહે છે, પરંતુ તેમના મૂળ તેમના ગામ સાથે ઊંડે સુધી જોડાયેલા છે. આ લોકો વિદેશમાં રહીને પણ બદલાયા નથી. તેમના મોટાભાગના નાણા બેંકોમાં જમા છે. આ ગામમાં આજે પણ ખેતીને રોજગારીનો(employment) મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. અહીં બનેલા ઉત્પાદનો મોટાભાગે મુંબઈમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.
 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version