Site icon

કોરોના પહોંચ્યો મંત્રાલય સુધી. ગુજરાતમાં 18 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત, ચોમાસું સત્રને લઈ રાજ્ય સરકાર અવઢવમાં

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020

રૂપાણી સરકારમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ કોરોના મંત્રીઓ અને વિધાયકો સુધી ફેલાયો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પછી સરકારના કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી ધમેંદ્રસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા, ગાંધીનગરમાં ચિંતાનો માહોલ છે. હર્ષ સંઘવી અને હર્ષદ રિબડિયાને પણ કોરોનાનો ચેપ લાગતા ગુજરાતમાં કોરોનાની ઝપેટમાં આવેલા ધારાસભ્યોની કુલ સંખ્યા 18એ પહોંચી છે.

જ્યારે રાજ્યના 18-18 નેતાઓ કોરોનાના ચેપથી પીડિત હોય એવા સમયે, આવનારા દિવસોમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ક્યારે બોલાવવું!?? તેને લઈ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે.. કોરોના પોઝિટિવ આવતા પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન થવા અને કોરોનાનું પરીક્ષણ કરાવવાની અપીલ કરનાર મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ગુરુવારે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે હાલમાં રાજ્ય સરાકરના બાકી મંત્રીઓના કાર્યક્રમો પહેલાથી જેમ જ ચાલી રહયાં છે.

બીજી તરફ મંત્રી નિવાસમાં તેમના બંગલામાં રહેનારા કર્મચારીઓને પણ કોરેન્ટાઈન કરાયા છે. સાથે જ તેમના કાર્યાલયના બાકીના સભ્યોના ટેસ્ટ પણ કરાવવાના આદેશ આપવામાં આવ્યાં છે. માત્ર ધારાસભ્યો અને મંત્રી જ નહીં પરંતુ આ પહેલા રમેશ થડૂક અને બાદમાં કિરીટ સોલંકીને કોરોનાને ચેપ લાગતા રાજ્યના 26 સાંસદો પૈકી લોકસભાના 2 સાંસદો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ મંત્રાલય સુધી કોરોનાનો ચેપ ફેલાઈ જતાં મંત્રી થઈ લઈને સંત્રી સુધી સૌ કોઈમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જોકે ચોમાસું સત્ર માટે હાલ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version