Site icon News Continuous Bureau | Mumbai

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.

રાજ્યસભા માટે શરદ પવારના નામ પર મહોર, આદિત્ય ઠાકરે પ્રિયંકા ચતુર્વેદીને રિપીટ કરવા માંગતા હતા; મહાવિકાસ આઘાડીમાં ખેંચતાણ તેજ.

Rift in Uddhav Sena Sanjay Raut’s ‘Veto’ Over Priyanka Chaturvedi Wins as Sharad Pawar Gets RS Nod.

Rift in Uddhav Sena Sanjay Raut’s ‘Veto’ Over Priyanka Chaturvedi Wins as Sharad Pawar Gets RS Nod.

News Continuous Bureau | Mumbai

Uddhav Sena Internal Rift મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વિપક્ષી ગઠબંધન ‘મહાવિકાસ આઘાડી’ (MVA) માં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. વિપક્ષ માત્ર એક જ બેઠક જીતી શકે તેવી સ્થિતિમાં છે અને તે બેઠક માટે વરિષ્ઠ નેતા શરદ પવારનાનામ પર મહોર મારવામાં આવી છે. જોકે, આ નિર્ણય પાછળ ઉદ્ધવ સેનાના બે દિગ્ગજ નેતાઓ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે વચ્ચેના મતભેદોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉત વિરૂદ્ધ આદિત્ય ઠાકરે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે ઈચ્છતા હતા કે પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં બીજી તક મળવી જોઈએ. પ્રિયંકા ચતુર્વેદીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેઓ સંસદમાં પોતાના છેલ્લા દિવસે ભાવુક પણ જોવા મળ્યા હતા. બીજી તરફ, સંજય રાઉત સતત શરદ પવારના નામની હિમાયત કરી રહ્યા હતા. અંતે સંજય રાઉતનો પક્ષ ભારે રહ્યો અને પ્રિયંકા ચતુર્વેદીના નામ પર રાઉતે એક પ્રકારે ‘વીટો’ વાપરીને શરદ પવાર માટે રસ્તો સાફ કરી દીધો હોવાનું મનાય છે.

કોંગ્રેસનો દાવો અને ખરગેનો નિર્ણય

Text : આ બેઠક પર કોંગ્રેસે પણ દાવો કર્યો હતો અને આ બાબતે રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા થઈ હતી. પરંતુ અંતે મલ્લિકાર્જુન ખરગેએ પીછેહઠ કરવાનો નિર્ણય લીધો અને શરદ પવારના નામ પર સહમતી સધાઈ. ઉદ્ધવ સેનાના એક વર્ગમાં આ નિર્ણયને લઈને નારાજગી છે. તેમનું માનવું છે કે વિર્યું છે કે ગઠબંધનપક્ષમાં ઉદ્ધવ સેના સૌથી મોટો પક્ષ હોવા છતાં રાજ્યસભાની બેઠક NCP (SP) ના ખાતામાં જવી એ પક્ષ માટે નુકસાનકારક છે. જોકે, સુપ્રિયા સુલેએ સ્પષ્ટ કમાં કોઈ નારાજગી નથી.

આ સમાચાર પણ વાંચો : Gold Rates Crash Amid US-Iran Conflict: સોનાના ભાવમાં કડાકો! ઈરાન-અમેરિકા જંગ વચ્ચે બજારમાં મોટો ઉલટફેર; ચાંદી પણ થઈ નરમ, જુઓ આજનું પ્રાઇસ લિસ્ટ

હવે MLC બેઠક પર નજર

રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ હવે ઉદ્ધવ સેનાની નજર વિધાન પરિષદની (MLC) બેઠક પર છે. આવતા મહિને જ ઉદ્ધવ ઠાકરેનો એમએલસી તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઉદ્ધવ ઠાકરે પોતે રિપીટ થાય છે કે પછી પ્રિયંકા ચતુર્વેદી જેવા કોઈ અન્ય નેતાને તક આપવામાં આવે છે. કોંગ્રેસ પણ આ બેઠક પર દાવો કરી શકે છે, પરંતુ હાલ પૂરતું સંજય રાઉત પક્ષમાં એજન્ડા સેટ કરવામાં વિજેતા બનીને ઉભર્યા હોય તેવું જણાય છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version