Narmada Nigam : નર્મદા સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલવામાં આવયા..

Narmada Nigam : ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે પુરની અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી પૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોને પુરની અસર ન થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે

by Akash Rajbhar
23-gates-of-narmada-sardar-sarovar-dam-were-opened-up-to-5-60-meters

News Continuous Bureau | Mumbai 

Narmada Nigam : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં(sardar sarovar dam) પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. ઈન્દીરા સાગર(indira sagar) ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦ દરવાજા બપોરે ૧૨ કલાકે ૧.૪૦ મીટર સુધી ખોલી રિવરબેડ(riverbed) પાવર હાઉસમાંથી કુલ ૧,૪૫,૦૦૦ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે ૧ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૬.૩૬ મીટર થઇ છેપાણીની આવક ૯,૧૬,૮૯૫ ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૮,૧૧,૩૪૦ ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક ૧,૪૨,૧૬૬ ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો મળી રહ્યો છે. વધારો જોવા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ(bharuch) સહિતના નીચાણવાળા વિસ્તારને પુની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેરશ્રી કાનુન્શો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. સરદાર સરોવર ડેમનો પ્રાકૃતિક નઝારો અને ડેમના દરવાજા ખોલાતા આહલાદક વાતાવરણ નજારાને જોવા માટે સહેલાણીઓ અને લોકો પણ પાણીના પ્રવાહને જોઇને આનંદિત બની સેલ્ફી અને પ્રાકૃતિક નજારો પુલકિત બની હોંશથી આનંદ લઇ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : Sharadi Navratri : શારદીય નવરાત્રી ક્યારે છે? ધન પ્રાપ્તિ માટે જાણો ઘટસ્થાપન અને મંત્રનો શુભ સમય!

સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે ૫ ક્લાકે પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટર, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક છે. સાંજે ૫ કલાકે ૨૩ દરવાજા ૫૬૦ મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૯,૪૫,૦૦૦ ક્યુસેકપાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ૧ કલાકમાં પાણીની સપાટીમાં ૨૫-૩૨ સે.મી.નો વધારો નોંધાઇ રહ્યો છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ નર્મદા વડોદરા સહિત નીચાણવાળા ગામોના વિસ્તારોને પુસ્તી વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More