ઔરયામાં શ્રમિકો ભરેલી ગાડીને ટ્રકે જોરદાર ટક્કર મારી, 24 ના મૃત્યું, 36 થી વધુ ઘાયલ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

16 મે 2020

કોરોનાવાયરસથી ચાલતા લોકડાઉન વચ્ચે કામદારો જુદા જુદા રાજ્યોમાં પોતાનાના વતન જતા હતા. ત્યારે શનિવારે સવારે, એક ડીસીએમ લારીમાં મુસાફરી કરી રહેલા પ્રવાસી મજૂરોને પાછળથી ટ્રકએ જોરદાર ટક્કર મારતા  ઓછામાં ઓછા 24 થી વધુ પરપ્રાંતિય કામદારો તુરંત જ માર્યા ગયા હતા અને 36 થી વધુ ઘાયલ થયા હતા, ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સવારે 30.30 વાગ્યે ઘટના બની હતી જેની જાણ થતાંજ પોલીસ અને એમ્બ્યુલન્સ મદદ માટે પહોચી ગયાં હતાં.

 સરકાર દ્વારા અનેક બસ અને ટ્રેનની શરૂવાત કરી હોવા છતાં માંગ સામે પૂરતી ન હોવાથી પરપ્રાંતિય કામદારો પગપાળા જ કે જુદા જુદા વાહનોમાં ભરાઈને પોતાના ગામ જઈ રહયા છે. બધા સ્થળાંતર કરનારા – મૂળ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતની હતાં અને રાજસ્થાનથી આવતા હતા. જ્યારે અન્યને Aરૈયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હકીકતમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે કેન્દ્ર દ્વારા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવાની ઘોષણા કર્યા બાદ દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા હજારો કામદારો પોતાના વતન ફરવા ઉતાવળા થયા છે અને આથી રોજને રોજ કોઈને કોઈ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More