News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના(Uttarakhand)ના ઉત્તરકાશી (Uttarkashi)માં રવિવારે મોટી દુર્ઘટના ઘટી છે.
યમુનોત્રી નેશનલ હાઈવે (Yamunotri Highway) પર ડામટા રિખાઉ ખડ્ડુ નજીક એક બસ બેકાબૂ થયા બાદ 200 મીટર ઊંડી ખીણ(Bus Accident) માં ખાબકી.
આ બસ અકસ્માતમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા જયારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા.
આખી રાત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું અને આ દરમિયાન 26 મૃતદેહો મળી આવ્યા. જ્યારે 4 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મધ્ય પ્રદેશના સીએમએ મૃતકોના પરિજનોને 5-5 લાખની અને ઉત્તરાખંડના સીએમએ 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
આ અકસ્માત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો અને તેમણે રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાષ્ટ્રપતિએ શહેર કે રેલવે સ્ટેશનનું નહીં પણ દેશનું જ નામ બદલી દીધું- હવે આ નામથી ઓળખાશે