Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપ રે- આ જેલમાં એકસાથે 26 કેદીઓ કોરોનાથી નહીં પણ HIVથી થયા સંક્રમિત- વહીવટીતંત્રમાં હડકંપ

News Continuous Bureau | Mumbai

જેલમાં એકસાથે કેદીઓના કોરોના પોઝિટિવ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે યુપીની બારાબંકી જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંની જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ એચ.આઈ.વી પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે ૧૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી જેલમાં ત્રણ તબક્કાનો એચ.આઈ.વી કેમ્પ યોજ્યો હતો અને કેદીઓની તપાસ કરી હતી. તે જ સમયે, આ મામલો સામે આવ્યો, જે પછી વહીવટીતંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે તમામની તપાસ શરૂ કરી છે. 

Join Our WhatsApp Channel

જેલર આલોક શુક્લાએ જણાવ્યું કે જેલમાં ૩૩૦૦ કેદીઓ છે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ તમામની તપાસ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ૨૬ કેદીઓમાં HIV વાયરસ મળી આવ્યો છે, જેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમાંથી બે દર્દીઓને એન્ટિ-રેટ્રોવાયરલ સારવાર માટે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૨૪ દર્દીઓને એઆરટી (HIVની દવા) આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમેર ટીકા થયા પછી કાર અને ટેકનોલોજી ઉત્પાદક કંપનીએ વિડીયોના માધ્યમથી સમજાવ્યું કે પાછળની સીટ બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે- તમે પણ વિડીયો જુઓ 

આ મામલે બારાબંકીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અવધેશ યાદવે કહ્યું કે પોઝિટિવ મળી આવેલા કેદીઓને અન્ય કેદીઓથી અલગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૬ પોઝિટિવ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમનો પ્રયાસ બાકીના કેદીઓની વહેલી તકે તપાસ કરવાનો છે. તે જ સમયે, જેલમાં ૭૦ મહિલા કેદીઓ છે, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડૉ. યાદવના કહેવા પ્રમાણે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આટલા કેદીઓને કેવી રીતે ચેપ લાગ્યો. તેમાંથી કેટલાક વૃદ્ધ છે, તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. આ સાથે તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version