Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપ રે- આ જેલમાં એકસાથે 26 કેદીઓ કોરોનાથી નહીં પણ HIVથી થયા સંક્રમિત- વહીવટીતંત્રમાં હડકંપ

News Continuous Bureau | Mumbai

જેલમાં એકસાથે કેદીઓના કોરોના પોઝિટિવ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે યુપીની બારાબંકી જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંની જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ એચ.આઈ.વી પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે ૧૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી જેલમાં ત્રણ તબક્કાનો એચ.આઈ.વી કેમ્પ યોજ્યો હતો અને કેદીઓની તપાસ કરી હતી. તે જ સમયે, આ મામલો સામે આવ્યો, જે પછી વહીવટીતંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે તમામની તપાસ શરૂ કરી છે. 

Join Our WhatsApp Channel

જેલર આલોક શુક્લાએ જણાવ્યું કે જેલમાં ૩૩૦૦ કેદીઓ છે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ તમામની તપાસ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ૨૬ કેદીઓમાં HIV વાયરસ મળી આવ્યો છે, જેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમાંથી બે દર્દીઓને એન્ટિ-રેટ્રોવાયરલ સારવાર માટે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૨૪ દર્દીઓને એઆરટી (HIVની દવા) આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમેર ટીકા થયા પછી કાર અને ટેકનોલોજી ઉત્પાદક કંપનીએ વિડીયોના માધ્યમથી સમજાવ્યું કે પાછળની સીટ બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે- તમે પણ વિડીયો જુઓ 

આ મામલે બારાબંકીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અવધેશ યાદવે કહ્યું કે પોઝિટિવ મળી આવેલા કેદીઓને અન્ય કેદીઓથી અલગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૬ પોઝિટિવ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમનો પ્રયાસ બાકીના કેદીઓની વહેલી તકે તપાસ કરવાનો છે. તે જ સમયે, જેલમાં ૭૦ મહિલા કેદીઓ છે, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડૉ. યાદવના કહેવા પ્રમાણે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આટલા કેદીઓને કેવી રીતે ચેપ લાગ્યો. તેમાંથી કેટલાક વૃદ્ધ છે, તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. આ સાથે તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version