ઉત્તરાંખડના ચંપાવતમાં બોલેરો 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી- આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત- 6 ઘાયલ-મુખ્યમંત્રી ધામીએ કરી વળતરની જાહેરાત 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

ઉત્તરાખંડ(Uttarakhand)ના ચંપાવત(Champawat)માં સોમવારે સાંજે એક માર્ગ અકસ્માત(Road accident)માં ત્રણ લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.

અહીં નાનકમટ્ટાથી બિનવાલ ગામ, રેથા સાહિબ તરફ આવી રહેલું પેસેન્જર બોલેરો વાહન 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયું. 

આ ઘટના પર શોક વ્યક્ત કરતા CM પુષ્કર સિંહ ધામીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

અકસ્માત સુખીહાંગ-ડાંડા-મિદર મોટરવે પર થયો હતો. તે કારમાં 9 લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે રવિવારે જ ઉત્તરકાશી જિલ્લાના દમતામાં બસ ખીણમાં પડતાં 26 મુસાફરોના મોત થયા હતા. 

આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More