Site icon News Continuous Bureau | Mumbai

કોકણ પર અતિવૃષ્ટિ અને મહાપૂરના આવેલા સંકટ દરમિયાન કોકણના આ મહારથી નેતાઓ જ ગાયબ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોકણમાં 21 અને 22 જુલાઈના થયેલી અતિવૃષ્ટિમાં ખેડ, મહાડ, ચિપળૂણ વિસ્તારમાં વિનાશકારી પૂર આવ્યાં હતાં. જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હજારો લોકો પૂરમાં બેઘર થઈ ગયા છે. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારના સામાન્ય નાગરિક, વેપારી વર્ગથી લઈને અનેક નેતાઓ પણ ત્યાં મદદે પહોંચી ગયા હતા. પરંતુ મૂળ કોકણના જ સ્થાયી ત્રણ મહારથી નેતાઓનાં દર્શન હજી સુધી કોકણવાસીઓને થયાં નથી. એની સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાગ્યો છે.

કોકણ પર આવેલી આફત બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓ કોકણ જઈ આવ્યા છે, જેમાં કૉન્ગ્રેસથી ભાજપમાં ગયેલા અને કેન્દ્રીય પ્રધાનપદ મેળવનારા મૂળ કોકણના નેતા નારાયણ રાણેનો પણ સમાવેશ થાય છે, પરંતુ મૂળ કોકણના અને વર્ષો સુધી ખાસ્સા ઍક્ટિવ રહેલા અમુક નેતાઓ ગાયબ થઈ ગયા છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ પ્રભુનું કોકણમાં સારું એવું નામ છે. રત્નાગિરિ-સિંધુદુર્ગ જિલ્લાનું તેઓ પ્રતિનિધત્વ કરતા હતા, પણ હાલ તેઓ આ વિસ્તારમાં બહુ સક્રિય નથી. કોકણમાં પૂર આવ્યા બાદ પણ સુરેશ પ્રભુ કોકણમાં દેખાયા નથી.

શિવસેનાના અત્યંત સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે પણ કોકણમાં આવેલી આફત દરમિયાન દેખાયા નથી. લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુનીલ તટકરે સામે હારી ગયા બાદ અનંત ગીતે રાજકારણમાં બહુ સક્રિય રહ્યા નથી. હાર બાદ તેઓ હજી પણ આઘાતમાં જ લાગે છે, તેથી કોકણમાં જવાની તેમણે તસ્દી લીધી ન હોવાની ફરિયાદ કોકણવાસીઓ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના નવા આંકડા

જોગેશ્વરીના વિધાનસભ્ય અને શિવસેનાના અગ્રણી નેતા રવીન્દ્ર વાયકર પોતાના વિસ્તારમાં બહુ ઍક્ટિવ હોય છે, પણ તેઓ કોકણમાં હજી સુધી મદદ માટે દેખાયા નથી. તેઓ દેવેન્દ્ર ફડણવીસની સરકાર દરમિયાન રત્નાગિરિના પાલકપ્રધાન રહી ચૂક્યા છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version