વડોદરાના તળાવમાંથી 31 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા, વિસ્ફોટ કર્યાની શંકા

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

26 જુન 2020 

વડોદરાના એક તળાવમાંથી ભેદી સંજોગોમાં 31 જેટલા કાચબા મૃતાવસ્થામાં મળી આવતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે. આ મૃત કાચબા શહેરના આજવા રોડ પર આવેલા તળાવમાંથી મળી આવ્યા છે. આજે સવારે જ્યારે આટલા બધા કાચબા મૃત અવસ્થામાં પાણી પર તરતા જણાય ત્યારે લોકોએ જીવદયા સંસ્થા અને વનવિભાગને જાણ કરતાં તુરંત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 વડોદરા વન વિભાગના આર.એફ.ઓ ના જણાવ્યા મુજબ "કોઈ વ્યક્તિએ વિસ્ફોટક પદાર્થો તળાવમાં નાખ્યા હોવા જોઈએ, જેને કારણે આ કાચબાના મોત થયા હોવાનું પ્રાથમિક નજરે જણાઈ રહ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આટલા બધા કાચબાનું એકસાથે મોત કેવી રીતે થયું." 

ઉલ્લેખનીય છે કે આ કાચબાઓ શેડ્યુલ-વન માં આવતા જળચર પ્રાણી છે. આથી આ કૃત્ય કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે અને આ બાબતે વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ આસપાસના સીસીટીવી તપાસી રહી છે તેમ જ લોકોની પૂછપરછ પણ કરી રહી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More