ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, પુણે બાદ હવે આ જિલ્લામાં આજથી 5 દિવસનો કર્ફ્યુ લાગુ; કલેકટરે આપ્યો આદેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021 

મંગળવાર.

ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલી ઘટનાના વિરોધમાં સાંગલીમાં કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

સાંગલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ ન બગડે તે માટે આજથી પાંચ દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. 

કર્ફ્યુ દરમિયાન  પાંચ અને તેથી વધુ લોકોને ભેગા થવા, સભાઓ કરવા અને હથિયારો, લાકડીઓ સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે.

જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે તો ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં બનેલી ઘટનાને લઈને રઝા એકેડમીએ 12 નવેમ્બરે બંધનું એલાન આપ્યું હતું. જોકે, આ બંધ દરમિયાન મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાંવ, પુસદ અને કારંજામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી.

100 વર્ષ બાદ કેનેડાથી માતા અન્નપુર્ણા કાશી પધાર્યા; મૂર્તિની ચોરીનું રહસ્ય અને ભારત પરત આવવા સુધીની આખી કહાણી વાંચો અહીં…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More